Posts

Showing posts from December, 2025

અંધકાર થી પ્રકાશ તરફ એક કદમ

રાજ્ય ના અંતરિયાળ આદિવાસી વિસ્તારમાં આવેલ એક ગામ ચારેય તરફ પહાડો, કાચા રસ્તા, અને ભૌતિક સુવિધાઓ થી તથા વીજળી ની અછત મર્યાદિત સુવિધા ઓઅહીં ના લોકો નું જીવન જળ જંગલ જમીન અને ખેતી પર આધારિત હતું. પ્રાથમિક શિક્ષણ શાળા, આરોગ્ય કેન્દ્ર થી વંચિત હતું.           અહીં ના લોકો જાણકાર વધુ ન હતા પરંતુ આ જ ગામનો રહેવાસી કરણ નામનો છોકરો તેના માતા પિતા સાથે કાચા મકાન માં રહેતો. કરણ ના માતા પિતા ખેડૂત હતા .આથી સવાર થી સાંજ સુધી સતત કામ કરતા છતાં આ ખેતર માંથી એટલી બધી આવક મળી શકતી નહોતી. તેના થી માત્ર જીવન જીવવા માટે ની પ્રાથમિક જરૂરિયાત પણ ક્યારેક પુરી ન પણ થઈ શકતી.    કરણ અભ્યાસ માં હોશિયાર અને મહેનતુ હતો તેથી પડોશ ગામ માં આવેલી સરકારી શાળા માં 3 કિલોમીટર નિયમિત ચાલી ને જતો .       રાત્રે ઘરે લાઈટ-વીજળી ન હોવાથી કરણ દીવો સળગાવી અભ્યાસ કરતો. કયારેક થાક થી આંખ મીચાઈ જતી પણ પરંતુ તેને પોતાના પિતા ના શબ્દો યાદ આવતા-                 " બેટા , ભણતર જ તને અમારી જેવી જિંદગી થી બચાવશે ."   એક દિવસ આ ગામમાં જ...

ભાગ્યરૂપ ફળ

એક ગામ માં એક વૃદ્ધ માણસ રહે. તે વૃદ્ધ માણસ ની પત્ની ના અવસાન ને લગ ભગ ત્રણેક વર્ષ પહેલાં થયું હતું. તેમના ત્રણ દીકરા હતા. આ ત્રણ દીકરા માંથી એક દીકરો શિક્ષક ની નોકરી કરતો. અને બીજો એના માતા પિતા સાથે એક ઘર માં રહે અને ત્રીજો દીકરો પણ જોડે જ બાજુ ના ઘર માં રહે પરંતુ આ બે ભાઈઓ વચ્ચે ના એમના ખરાબ વર્તન ને કારણે સબંધ ખરાબ હતા.એમના પિતા નું નામ કાંતિલાલ એમનો સ્વભાવ પણ ખૂબ ખરાબ હતો.તેઓ લોકો સાથે ખરાબ રીતે વર્તતા અને હંમેશા નિંદા કરતા રહેતા.           કાંતિલાલ ના ઘર સામે ભીમા ભાઈ નું ઘર હતું તે સારી નિયત ના હતા. તેઓ લોકો સાથે હળીમળીને રહેતા અને સારી રીતે વર્તન કરતા. તેથી તેમને લોકો પસંદ પણ કરતા. આ બંને ના ઘર ની બાજુ માં મેલડી માં અને ભાથીજી મહારાજ નું મંદિર નું સ્થાનક આવેલું હતું.તેથી ગામ ના લોકો ત્યાં જ આવીને આરાધના અને પૂજા કરતા. આ સમયે એ સમાજ ની અંધશ્રદ્ધા ઓ પ્રમાણે આઠમ ના દિવસે બકરી કે અન્ય વસ્તુઓ નું આહુતિ આપતા.  કાંતિલાલ અને ભીમાભાઇ દારૂ વેચતા અને ભીમા ભાઈ ને લોકો પસંદ કરતા હોવાથી એના ત્યાજ દારૂ પણ વધારે વેચાતો આ બાબત કાન્તિ ભાઈ ને ગમતી ન હોતી. કાંતિભાઈ કાળ...